ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha) Gujarati

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha) Gujarati

ભાદરવા સુદ પાંચમને જેને ઋષપિંચમી અને સામાપાંચમ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ અરુંધતિ સહિત સપ્ત ઋષિઓનું પૂજા અને સ્મરણ કરે છે અને નદીમાં સ્નાન કરે છે.

Rishi Panchami is not a festival, no god is worshiped on this day, but the seven sages are worshipped. This time Rishi Panchami is on September 20. This fast is considered to be Atal Saubhagyavati fast for women. By observing this fast, women get rid of menstruating defects.

ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha Gujarati)

વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી. આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા. પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.

એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું.

પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રતના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે આ વ્રતને કોઈ પણ સ્ત્રી કે પુરૂષ કરે છે તો તેના બધા પાપોનો નાશ થઈ જાય છે. આ દિવસે મહિલાઓ કોઇ અન્ન નહીં પણ માત્ર સામો ખાઇને ઉપવાસ કરતી હોવાથી આ દિવસને સામાપાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઋષિ પંચમી વ્રત પૂજા પદ્ધતિ – Rishi Panchami Vrat Pooja Vidhi

  • ઉપવાસ કરનારા લોકોએ સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ.
  • આ પછી, સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
  • ત્યારબાદ ઘરના પૂજા ગ્રહને સારી રીતે સાફ કરો.
  • આ પછી હળદરથી ચોરસ વર્તુળો બનાવો. પછી તેના પર સાત ishષિઓની સ્થાપના કરો અને વ્રતનું વ્રત કરો.
  • આ પછી, સાચા હૃદયથી સાત saષિઓની પૂજા કરો.
  • પૂજા સ્થળ પર માટીના વાસણની સ્થાપના કરો.
  • સપ્તર્ષિની સામે દીવો પ્રગટાવો, ધૂપ કરો અને સુગંધ, ફૂલો, નૈવેદ્ય વગેરે અર્પણ કરીને વ્રતની કથા સાંભળો.
  • વ્રત કથા સાંભળ્યા પછી, આરતી કરો અને સપ્તર્ષિને મીઠી વાનગી આપો.
  • આ વ્રતમાં રાત્રિ દરમિયાન માત્ર એક જ વાર ભોજન કરવામાં આવે છે.
  • ધ્યાનમાં રાખો કે ઉપવાસ કરતા લોકોએ આ દિવસે પૃથ્વી પર જન્મેલા શાકાહારી ખોરાક જ લેવો જોઈએ.

ઋષિ પંચમી મુહૂર્ત

પંચમી તિથિ 10 સપ્ટેમ્બરે રાત્રે 09.57 થી શરૂ થશે અને 11 સપ્ટેમ્બરે સાંજે 07.37 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે, પૂજાનો શુભ સમય સવારે 11.03 થી બપોરે 01.32 વાગ્યા સુધી શરૂ થશે. આ વર્ષે આ તહેવાર 11 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

You can download the ઋષિ પંચમી વ્રત કથા PDF / Rishi Panchami Vrat Katha Gujarati PDF by click on the link given below.

2nd Page of ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha) PDF
ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha)
PDF's Related to ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha)

ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha) PDF Free Download

REPORT THISIf the purchase / download link of ઋષિ પંચમી વ્રત કથા (Rishi Panchami Vrat Katha) PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES